૨૩. ખરેખર આ તો એક નામ છે, જે તમે અને તમારા બાપ-દાદાઓએ રાખી લીધા છે. અલ્લાહ તઆલાએ તેના માટે કોઇ પુરાવા નથી ઉતારયા, આ લોકો તો ફકત પોતાના અનુમાનનું અનુસરણ કરી રહ્યા છે, અથવા પછી તે વસ્તુની જે તેમના દિલ ઈચ્છતા હોય, ખરેખર તેમના પાલનહાર તરફથી તેમની પાસે હિદાયત આવી પહોંચી છે.
التفاسير:
24:53
اَمْ لِلْاِنْسَانِ مَا تَمَنّٰی ۟ؗۖ
૨૪. શું દરેક વ્યક્તિ જે ઇચ્છે, તે તેને મળી જાય છે?
التفاسير:
25:53
فَلِلّٰهِ الْاٰخِرَةُ وَالْاُوْلٰی ۟۠
૨૫. આખિરત અને દુનિયામાં અધિકાર તો ફક્ત અલ્લાહને જ છે.
૨૬. અને આકાશોમાં ઘણા ફરિશ્તાઓ છે, જેમની શિફારીશ કંઇ પણ ફાયદો નહીં પહોચાડી શકે, પરંતુ અલ્લાહ તઆલા જેને ઈચ્છે તેને શિફારિશ કરવાની પરવાનગી આપી શકે છે, અને તે તેના પર રાજી પણ હોય.